Thursday, August 7, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 4,01,078 વધુ નવા કેસ, 4187નાં મોત 

કોરોનાના 4,01,078 વધુ નવા કેસ, 4187નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ હવે ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 4,01,078 નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના ચાર લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4187 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,18,92,676 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,38,270 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,79,30,446  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,18,609 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,23,446 પહોંચી છે. રિકવરી રેટ વધીને 81.95 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.

દેશમાં 16.73 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 16,73,46,544 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 22,97,257 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular