Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 39,796 વધુ નવા કેસ, 723નાં મોત

કોરોનાના 39,796 વધુ નવા કેસ, 723નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 39,796 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 723 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,05,85,229 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,02,728 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,97,00,430  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 42,352 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,82,071એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.11 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 15,22,504 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.40 ટકા છે. દેશમાં અત્યાર સુધી 41.97 કરોડથી વધુના કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

દેશમાં 35.28 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 35,28,92,046 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,81,583 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular