Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના સૌથી વધુ 39,726ના નવા કેસ, 154નાં મોત 

કોરોનાના સૌથી વધુ 39,726ના નવા કેસ, 154નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરના ડરે દેશના 70 જિલ્લામાં 150 ટકા વધુ કોરોના ફેલાઈ રહ્યો છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. છેલ્લા 24 કલાકમાં કેસો સામે આવી રહ્યા છે, એમાંથી 60 ટકા ટેક્સો એકલા મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 39,726 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 154 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,15,14331 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,59,370 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,10,83,679  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 20,654 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,71,282 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

 દેશમાં 3.93 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 3,93,39,817 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 22,02,861 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular