Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 39,361 વધુ નવા કેસ, 416નાં મોત

કોરોનાના 39,361 વધુ નવા કેસ, 416નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં દૈનિક ધોરણે હવે 30થી 40,000ની વચ્ચે નવા કેસો નોંધાઈ રહ્યા છે. જોકે સરકારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને બધાને સતર્ક રહેવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 39,361 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 416 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,14,11,262 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,20,967 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,05,79,106  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 35,968 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,11,189એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.35 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,54,444 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 45.74 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 43.51 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 43,51,96,001 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18,99,874 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular