Tuesday, August 12, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 38,949 વધુ નવા કેસ, 542નાં મોત

કોરોનાના 38,949 વધુ નવા કેસ, 542નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,949 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 542 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,10,26,829 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,12,531 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,01,83,876 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,026 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,30,422એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.28 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 15 જુલાઈ સુધી દેશમાં કુલ 44 કરોડ લોકોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.દેશમાં 39.53 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 39,53,43,767 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19,55,910 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular