Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,86,452ના નવા કેસ, 3498નાં મોત 

કોરોનાના 3,86,452ના નવા કેસ, 3498નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન કોરોના કેસોમાં નવો રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,86,452 નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં સતત નવમા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. જોકે આમ સતત 13મો દિવસ છે, જ્યારે દેશભરમાં કોરોનાના અઢી લાખથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3498 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,87,62,976 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,08,330 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,53,84,418  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,97,540 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 31,70,228 પહોંચી છે. રિકવરી રેટ વધીને 81.99 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.11 ટકા થયો છે.

દેશમાં 15.22 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 15,22,45,179 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 22,24,548 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular