Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 38,079 વધુ નવા કેસ, 560નાં મોત

કોરોનાના 38,079 વધુ નવા કેસ, 560નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,079 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 560 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,10,64,908 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,13,091 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,02,27,792  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 43,916 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,24,025એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.31 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 16 જુલાઈ સુધી દેશમાં કુલ 44.20 કરોડ લોકોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. ગઈ કાલે 19.98,715 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે.

દેશમાં 39.96 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 39,96,95,879 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 42,12,557 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular