Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,79,257ના નવા કેસ, 3645નાં મોત 

કોરોનાના 3,79,257ના નવા કેસ, 3645નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  પ્રતિદ્ન કોરોના કેસોમાં નવો રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,79,257 નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. જોકે આમ સતત 12મો દિવસ છે, જ્યારે દેશભરમાં કોરોનાના અઢી લાખથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3645 લોકોનાં મોત થયાં છે. કોરોના વાઇરસથી થતા મોતોમાં આ સૌથી મોટો આંકડો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,83,76,524 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,01,187 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,50,86,878  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,69,507 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 30,84,814 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.10 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.11 ટકા થયો છે.

દેશમાં 14.78 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 14,78,27,367 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25,56,182 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular