Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 37,875 નવા કેસ, 369નાં મોત

કોરોનાના 37,875 નવા કેસ, 369નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ફરી વધારો નોંધાયો હતો. કોરોનાના કેસોમાં ગઈ કાલની તુલનાએ આજે 21.3 ટકાનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,875 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 369 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,30,96,718 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,41,411 લોકોનાં મોત થયાં છે.

અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,22,64,051 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,114 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,91,256એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.48 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,53,745 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 52.15 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 70.75 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 70,75,43,018 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 78,47,625 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular