Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 37,566 વધુ નવા કેસ, 907નાં મોત

કોરોનાના 37,566 વધુ નવા કેસ, 907નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. હવે કોરોનાના નવા કેસોની સંખ્યા 40,000ની નીચે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,566 નવા કેસ સામે આવ્યા છે, જે 100 દિવસ કરતાં વધુ સમય પછી આટલા ઓછા નવા કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 907 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,03,16,897 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,97,637 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,93,66,601  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56,994 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,52,659એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.87 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 17,68,008 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.74 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 40.81 કરોડ ટેસ્ટ થયા છે.

દેશમાં 32.90 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 32,90,29,510 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 52,76,457 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular