Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોના 3722 નવા કેસ અને 134 લોકોનાં મોત

કોરોના સંક્રમિતોના 3722 નવા કેસ અને 134 લોકોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો ચાલુ છે. કોરોના કેસના વધારાને લીધે દેશમાં લોકડાડાઉન 4.0 જારી રહેશે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 78,003 થઈ ગઈ છે. આમાં 49,219 સક્રિય કેસો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 2549 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધી 3722 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે કોરોનાને હવે 26,235 લોકો માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ સુધરીને 33.63 ટકા થયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધીને 25,000ને પાર

મબારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 25,000ને પાર થઈ છે. એમાં પણ  મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,000ને પાર થઈ છે. મહારાષ્ટ્રમાં 1495 નવા કેસો સામે આવ્યા છે અને 54 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25,922 થઈ છે અને અત્યાર સુધી આ વાઇરસથી 975 લોકોનાં મોત થયાં છે. જ્યારે મુંબઈમાં 595 કેસ સામે આવ્યા છે અને 40 લોકોનાં મોત થયાં છે. દેશમાં રાજ્યવાર કોરોના સંક્રમિતોની સ્થિતિ નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular