Monday, July 7, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 37,154 વધુ નવા કેસ, 724નાં મોત

કોરોનાના 37,154 વધુ નવા કેસ, 724નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એની સાથે સાજા થવાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,154 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 724 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,08,74,376 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,08,764 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,00,14,714  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,649 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,50,899એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.22 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 11 જુલાઈ સુધી દેશમાં કુલ 43.23 કરોડ લોકોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 14.32 લાખ લોકોનાં સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

દેશમાં 37.73 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 37,73,52,501 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 12,35,287 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular