Wednesday, January 7, 2026
Google search engine
HomeNewsNationalકોરોનાના 3714 નવા કેસ, 7નાં મોત

કોરોનાના 3714 નવા કેસ, 7નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3714 નવા કેસ નોંધાયા છે,  જેમાં ગઈ કાલના 4518 કેસોની તુલનાએ સાધારણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સાત લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 194.27થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 30,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,85,049 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,708 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,33,365 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2513 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 26,976એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.72 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,07,716 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.69 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.49 ટકા છે.

દેશમાં 194.27 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,94,27,16,543 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13,96,169 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular