Friday, June 27, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3688 નવા કેસ, 50નાં મોત

કોરોનાના 3688 નવા કેસ, 50નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3377 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 2.2 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં 50 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં  188.89 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,75,864 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,23,803 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,33,377 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2755 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 18,684એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,96,640 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 83.74 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.71 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.63 ટકા છે.

દેશમાં 188.89 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,88,89,90,935 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 22,58,059 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular