Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકશ્મીરઃ બસ ખીણમાં પડતાં 36નાં મરણ

કશ્મીરઃ બસ ખીણમાં પડતાં 36નાં મરણ

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ડોડા જિલ્લામાં એક પેસેન્જર બસ ચિનાબ નદીની ખીણમાં પડતાં ઓછામાં ઓછા 36 જણના મરણ થયા છે. બીજા 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.

બસ કિશ્તવાડથી જમ્મુ જતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. તે વિશે તપાસ ચાલે છે. બસ અકસ્માતના ભયાનક દ્રશ્યો ઈન્ટરનેટ પર જોવા મળી રહ્યા છે. અકસ્માત સ્થળે મૃતદેહો પડેલા વીડિયોમાં જોઈ શકાય છે. કેન્દ્ર સરકારે પ્રત્યેક મૃતક પ્રવાસીના સ્વજનોને બે લાખ રૂપિયા અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000ની સહાયતાની જાહેરાત કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular