Wednesday, June 25, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 35,871ના નવા કેસ, 172નાં મોત 

કોરોનાના 35,871ના નવા કેસ, 172નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નવા કેસોમાં વધારાએ ચિંતા વધારી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 35,871 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે છેલ્લા 24 કલાકમાં 172 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,14,74,605 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,59,216 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,10,63,025  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,741 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,52,364 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.41 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.39 ટકા થયો છે.

 દેશમાં 3.71 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 3,71,43,255 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 21,17,104 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular