Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 34,973 નવા કેસ, 260નાં મોત

કોરોનાના 34,973 નવા કેસ, 260નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. કોરોનાના કેસોમાં ઘઈ કાલની  તુલનાએ આજે 7.7 ટકાનો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 34,973 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 260 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,31,74,954 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,42,009 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,23,42,299 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37,681 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,90,646એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.49 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,67,611 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 52.50 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 72.37 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 72,37,84,491 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 67,58,491 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular