Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,43,144 વધુ નવા કેસ, 4000નાં મોત 

કોરોનાના 3,43,144 વધુ નવા કેસ, 4000નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં બીજી લહેર કહેર વરસાવી રહી છે. દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હજી પણ કોરોનાના કેસો સાડાત્રણ લાખની આસપાસ આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,43,144 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4000 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,40,46,809 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,62,317 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,00,79,599  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,44,776 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,04,893એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.50 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.

જો સંક્રમણની વાત કરીએ તો પોઝિટિવિટી દર 18.29 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 18.75 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 17.92 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 17,92,98,584 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 20,27,162 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

,

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular