Saturday, June 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 34,113 નવા કેસ, 346નાં મોત

કોરોનાના 34,113 નવા કેસ, 346નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં 24 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34,113 નવા કેસ નોંધાયા છે. જોકે એ પહેલાં 44,877 દૈનિક કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 346 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,26,665,534 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,09,011 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,16,77,641 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91,930 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4,78,882એ પહોંચી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 10,67,908 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે.

દેશમાં અત્યાર સુધી 75.18 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.48 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.07 ટકા છે.

 દેશમાં 172.95 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,72,95,87,490 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11,66,993 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular