Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,37,704 નવા કેસઃ 488નાં મોત

કોરોનાના 3,37,704 નવા કેસઃ 488નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના નવા કેસો ત્રણ લાખથી વધુ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,37,704  નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 488 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,89,03,731 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,88,884 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ 17.22 ટકા થયો છે., જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 16.65 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,63,01,482 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,42,676 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 21,13,365એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.31 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.26 ટકા થયો છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 10,050એ પહોંચી છે, જેમાં ગઈ કાલની તુલનાએ 3.69 ટકાનો વધારો થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 19,60,954 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 71.33 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 161.16 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,61,16,60,078 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 67,49,746 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular