Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,29,942 વધુ નવા કેસ, 3876નાં મોત 

કોરોનાના 3,29,942 વધુ નવા કેસ, 3876નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં બીજી લહેર થોડી ધીમી પડી છે. જેથી હવે કોરોનાના નવા કેસોમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,29,942 નવા કેસ સામે આવ્યા છે. જોકે આ આંકડા પણ ભયાનક છે.  છેલ્લા 24 કલાકમાં 3876 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,29,92,517 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,49,992 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,90,27,304  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,56,082 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,15,221 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.

કોરોનાને મામલે મે મહિનો બહુ ગંભીર રહ્યો. મેમાં અત્યાર સુધી 39 લાખ કેસો નોંધાયા છે. આ પહેલાં એપ્રિલમાં સૌથી વધુ 66 લાખથી વધુ કેસો નોંધાયા હતા.

દેશમાં 17.27 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 17,27,10,066 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25,03,756 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular