Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,23,144ના નવા કેસ, 2771નાં મોત 

કોરોનાના 3,23,144ના નવા કેસ, 2771નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,23,144 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2771 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,76,36,307 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,97,894 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,45,56,209  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,51,827 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 28,82,204 પહોંચી છે. રિકવરી રેટ વધીને 82.54 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.12 ટકા થયો છે.

દેશમાં 14.52 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 14,52,71,963 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 33,59,963 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular