Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3205 નવા કેસ, 31નાં મોત

કોરોનાના 3205 નવા કેસ, 31નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3205 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ આશરે 25  ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં 31 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 189.48 કરોડ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,88,118 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,23,920 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,44,689 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2802 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 19,509એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,27,327 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 83.89 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.98 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.76 ટકા છે.

દેશમાં 189.48 લાખ  રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,89,48,01,203 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4,79,208 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular