Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 31,923 નવા કેસ, 282નાં મોત

કોરોનાના 31,923 નવા કેસ, 282નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 31,923 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના કેસોમાં 18.4 ટકાનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 282 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,35,63,421 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,46,050 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,28,15,731 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 31,990 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,01,640એ પહોંચી છે, જે છેલ્લા 184 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,27,443 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 55.63 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 82.65 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 82,65,15,754 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 75,57,529 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular