Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3157 નવા કેસ, 26નાં મોત

કોરોનાના 3157 નવા કેસ, 26નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં ફરી એક વાર ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3157 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 2.2 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં 26 લોકોનાં મોત થયાં છે, દેશમાં સક્રિય કેસો 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 189.23 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં અત્યાર સુધીમાં 4,30,82,345 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,23,869 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,38,976 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2723 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 19,500એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,95,588 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 83.74 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.71 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.63 ટકા છે.

દેશમાં 189.23 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,89,23,98,347 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 4,02,170 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular