Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 30,757 નવા કેસ, 541નાં મોત

કોરોનાના 30,757 નવા કેસ, 541નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,757 નવા કેસ નોંધાયા છે. જોકે એ પહેલાં 30,615 દૈનિક કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 541 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,27,54,315 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,10,413 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,19,10,984 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 67,583 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,32,918એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.03 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,79,705 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 75.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.61 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.04 ટકા છે.

 દેશમાં 174.24 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,74,24,36,288 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 34,75,951 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular