Saturday, June 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 3,06,064 નવા કેસઃ 439નાં મોત

કોરોનાના 3,06,064 નવા કેસઃ 439નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,06,064 નવા કેસ નોંધાયા છે. જોકે ગઈ કાલે કોરોના 3.33 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 439 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,95,43,338 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,89,848 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ 20.75 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 17.03 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,68,04,145 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,43,495 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 22,24,335એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.24 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,74,753 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 71.69 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 162.26 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,62,26,07,516 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27,56,364 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular