Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 30,570 નવા કેસ, 431નાં મોત

કોરોનાના 30,570 નવા કેસ, 431નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ગઈ કાલ કરતાં વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 30,570 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 12.5 ટકાનો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 431 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,33,47,325 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,43,928 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,25,60,474 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 38,300 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,42,923એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.64 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,79,761 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 53.12 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 76.57 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 76,57,17,137 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 64,51,423 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular