Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 30,549 વધુ નવા કેસ, 422નાં મોત

કોરોનાના 30,549 વધુ નવા કેસ, 422નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 30,549 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 422 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,17,26,507 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,25,195 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,08,96,354  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 38,887 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,04,958એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.38 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,49,295 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 46.46 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 47.85 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 47,85,44,114 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 61,09,587 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular