Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 30,093 વધુ નવા કેસ, 374નાં મોત

કોરોનાના 30,093 વધુ નવા કેસ, 374નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 30,093 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 125 દિવસોમાં સૌથી ઓછા કેસ છે.  છેલ્લા 24 કલાકમાં 374 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,11,44,229 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,14,482 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,03,08,456  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 45,254 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,06,130એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.32 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 16 જુલાઈ સુધી દેશમાં કુલ 44.60 કરોડ લોકોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. ગઈ કાલે 17.92,336 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે.

મહારાષ્ટ્રમાં કોલ્હાપુર હોટસ્પોટ બન્યું

મહારાષ્ટ્રમાં કોલ્હાપુર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીં દૈનિક ધોરણે રાજ્યના 25 ટકા કેસો નોંધાઈ રહ્યા છે અને 18 ટકા મોત નોંત નોંધવામાં આવી રહ્યા છે. જિલ્લામાં રસીના બંને ડોઝ લઈ ચૂકેલા 1368 લોકો અને એક ડોઝ લઈ ચૂકેલા 5745 લોકો કોરોના સંક્રમિત થયા છે.

દેશમાં 41.18 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 41,18,46,401 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 52,67,309 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular