Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalઝારખંડમાં રોપવે-દુર્ઘટનાઃ કેબલ-કાર અથડાતાં 3નાં મરણ, અનેક-ઘાયલ

ઝારખંડમાં રોપવે-દુર્ઘટનાઃ કેબલ-કાર અથડાતાં 3નાં મરણ, અનેક-ઘાયલ

રાંચીઃ ઝારખંડના દેવઘર જિલ્લામાં બાબા બૈદ્યનાથ મંદિરની બાજુમાં આવેવા ત્રિકુટ પર્વતમાળા પર એક રોપવે સેવામાં કેટલીક કેબલ કાર (ટ્રોલી) એકબીજા સાથે અથડાતાં ઓછામાં ઓછા ત્રણ જણ માર્યા ગયા છે અને બીજા અનેક ઘાયલ થયાં છે. 11 જણને બચાવી લેવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના રવિવારે સાંજે લગભગ 4.30 વાગ્યે બની હતી. કેબલ કાર આકાશમાં હતી ત્યારે એકબીજા સાથે અથડાઈ હતી. એને કારણે કેબલ કારની અંદર 48 જેટલા લોકો ફસાઈ ગયા હતા. 10 પર્યટકોને ગંભીર પ્રકારની ઈજા થઈ છે. માર્યા ગયેલાઓ બિહારના રહેવાસી હતા. રાહત કામગીરી માટે ભારતીય હવાઈ દળે બે મિગ-17 હેલિકોપ્ટરને સેવામાં ઉતાર્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular