Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2,95,041ના નવા કેસ, 2023નાં મોત 

કોરોનાના 2,95,041ના નવા કેસ, 2023નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,95,041 નવા કેસ સામે આવ્યા છે.  આ સાથે સતત પાંચમા દિવસે દેશમાં અઢી લાખથી વધુ કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2023 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,56,16,130 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,82,553 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,32,76,039  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,67,457 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 21,57,538 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.17 ટકા થયો છે.

દેશમાં 13.01 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 13,01,19,310 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 29,90,197 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular