Sunday, August 10, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના નવા 29,164 કેસો, 449નાં મોત

કોરોનાના નવા 29,164 કેસો, 449નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 88 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,164 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 449 લોકોનાં મોત થયાં છે. છેલ્લા ચાર મહિનામાં પહેલી વાર દેશમાં કોરોના સંક્રમણના 30,000 ઓછા કેસ નોંધાયા છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 89,12,907 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,30,993  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 83,35,109 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,46,805એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.47 ટકા થયો છે.

દિલ્હીમાં 17 દિવસમાં એક લાખથી વધુ પોઝિટિવ

દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેથી 17 દિવસોમાં એક લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular