Thursday, October 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2876 નવા કેસ, 98નાં મોત

કોરોનાના 2876 નવા કેસ, 98નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં સાધારણ વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2876 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની સરખામણીએ 12 ટકા વધુ છે. દેશમાં સક્રિય કેસો 40,000ની નીચે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 98 લોકોનાં મોત થયાં છે.રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 180.40 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,98,938 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,16,072 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,50,055 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3884 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 32,811એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.72 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 7,52,818 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 78.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.37 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.44 ટકા છે.

 દેશમાં 180.60 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,80,60,93,107 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18,92,143 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular