Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2,86,384 નવા કેસઃ 573નાં મોત

કોરોનાના 2,86,384 નવા કેસઃ 573નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,86,384 નવા કેસ નોંધાયા છે. જોકે ગઈ કાલે કોરોના 2.85 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 573 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,03,71,500 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,91,700 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 19.59 ટકા થયો છે. સાપ્તાહિક સંક્રમણ દર 17.75 ટકા છે.  

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,76,73,328 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,06,357 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 22,02,472એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.33 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,62,261 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 72.02 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 163.84 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,64,84,39,207 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 22,35,267 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular