Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2,85,914 નવા કેસઃ 665નાં મોત

કોરોનાના 2,85,914 નવા કેસઃ 665નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં 11.7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,85,914 નવા કેસ નોંધાયા છે. જોકે ગઈ કાલે કોરોના2.55 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 665 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 40,0,85,116 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,91,127 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 16.16 ટકા થયો છે. સાપ્તાહિક સંક્રમણ દર 17.33 ટકા છે.  

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,73,70,971 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,99,073 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 22,23,018એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.23 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.23 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,69,745 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 71.87 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 163.58 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,63,58,44,536 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 59,50,731 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular