Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2745 નવા કેસ, છનાં મોત

કોરોનાના 2745 નવા કેસ, છનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2745 નવા કેસ નોંધાયા છે,  જેમાં ગઈ કાલના 2338 કેસોની તુલનાએ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં છ લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 193.57થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 20,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,60,832 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,636 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,26,17,810 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2236 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 18,386એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,55,314 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.08 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.69 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.49 ટકા છે.

દેશમાં 193.57 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,93,57,20,807 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,91,110 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular