Saturday, October 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 27,409 નવા કેસ, 347નાં મોત

કોરોનાના 27,409 નવા કેસ, 347નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં 19.6  ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,409 નવા કેસ નોંધાયા છે. જોકે એ પહેલાં 31 ડિસેમ્બરે 22,775 દૈનિક કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 347 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,26,92,943 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,09,358 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,17,60,458 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 82,817 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4,23,127એ પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.23 નોંધાયો છે અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 3.63 ટકા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,29,536 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 75.30 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.48 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.07 ટકા છે.

 દેશમાં 173.42 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,73,42,62,440 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 44,68,365 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular