Friday, June 27, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 27,254 નવા કેસ, 219નાં મોત

કોરોનાના 27,254 નવા કેસ, 219નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 27,254 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 4.7 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 219 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,32,64,175 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,42,874 લોકોનાં મોત થયાં છે.દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,24,47,032 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37,687 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ દેશમાં આ વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યા ચાર લાખથી નીચે છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,74,269એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.54 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,08,247 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 52.65 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 74.38 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 74,38,37,643 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 53,38,945 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular