Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 26,964 નવા કેસ, 383નાં મોત

કોરોનાના 26,964 નવા કેસ, 383નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં મામૂલી વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,964 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના કેસોમાં 3.25 ટકાનો વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 383 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,35,31,498 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,45,768 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,27,83,741 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 34,167 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,01,989એ પહોંચી છે, જે છેલ્લા 184 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.77 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કોરોના રોગચાળાને લઈને રાહતના સમાચાર છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દેશમાં કોરોનાની આર-વેલ્યુ એકથી નીચે આવી છે. આર-વેલ્યુની માલૂમ પડે છે કે કોરોનાના સંક્રમણમો પ્રસાર ઝડપી છે કે ઓછો છે. ઓગસ્ટના અંતમાં આર-વેલ્યું 1.17 હતી, જે સપ્ટેમ્બરના મધ્યમાં ઘટીને 0.92 પહોંચી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,93,395 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 55.47 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 82.65 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 82,65,15,754 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 75,57,529 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular