Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 29,616 નવા કેસ,290નાં મોત

કોરોનાના 29,616 નવા કેસ,290નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઉતાર-ચઢાવનો દોર જારી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,616 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 290 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,36,24,419 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,46,658 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,28,76,319 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 28,046 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,01,442એ પહોંચી છે, જે છેલ્લા 188 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 15,92,421 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 55.63 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 84.89 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 84,89,29,160 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 71,04,051 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular