Sunday, June 15, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 26,041 નવા કેસ,276નાં મોત

કોરોનાના 26,041 નવા કેસ,276નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,041 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 276 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,36,78,786 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,47,194 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,29,31,972 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 29,621 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,99,620એ પહોંચી છે, જે છેલ્લા 191 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,65,006 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 55.86 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 86.01 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 86,01,59,011 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 38,18,362 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular