Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 24,354 નવા કેસ, 234નાં મોત

કોરોનાના 24,354 નવા કેસ, 234નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,354 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 234 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,37,91,061 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,48,573 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,30,68,599 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 25,455 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,73,889એ પહોંચી છે, જે છેલ્લા 197 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.86 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,29,258 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 57.20 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 89.74 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 89,74,81,554 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 69,33,838 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular