Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalભોપાલના ગેરકાયદે શેલ્ટર હોમમાંથી 26 કિશોરીઓ ગાયબ

ભોપાલના ગેરકાયદે શેલ્ટર હોમમાંથી 26 કિશોરીઓ ગાયબ

ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં વગર મંજૂરીએ ચાલી રહેલા બાલિકાગૃહમાંથી 26 કિશોરીઓ ગાયબ થઈ છે. આ કિશોરીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન સિવાય મધ્ય પ્રદેશના સિહોર, રાયસેન, છીંદવાડા અને બાલાઘાટની નિવાસી હતી. વગર મંજૂરી બાલિકા ગૃહ ચલાવવાને મામલે પોલીસે FIR નોંધી છે.

રાષ્ટ્રીય બાલ પંચનાં અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોએ આ મામલે મધ્ય પ્રદેશનાં મુખ્ય સચિવ વીરા રાણાને પત્ર પણ લખ્યો છે. ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશનમાં આ ગેરકાયદે બાલિકા ગૃહ ચલાવવામાં આવતું હતું. ભોપાલના NGOની હોસ્ટેલ (ચિલ્ડ્રન્સ હોમ)થી કિશોરીઓના ગાયબ થયા પછી વિવાદ શરૂ થયો છે.

કાનૂનગોએ ભોપાલના બાલિકા હોસ્ટેલની મુલાકાત લીધી અને જ્યારે રજિસ્ટર ચેક કર્યું, ત્યારે તેમાંથી 68 કિશોરીઓની એન્ટ્રી હતી, પરંતુ તેમાંથી 26 કિશોરીઓ ગાયબ હતી. જ્યારે ચિલ્ડ્રન્સ હોમના સંચાલક અનિલ મેથ્યુને ગાયબ કિશોરીઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ સંતોષજનક જવાબ નહોતા આપી શક્યા, જે પછી પોલીસને માહિતી આપવામાં આવી. FIR મુજબ કિશોરીઓ માટે સંચાલિત આ ચિલ્ડ્રન્સ હોમમાં કેટલીય અનિયમિતતાઓ મળી છે.

કાનૂનગોએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે ભોપાલમાં રાજ્ય બાળ પંચના અધ્યક્ષ અને સભ્યોએ એક મિશનરી દ્વારા સંચાલિત ગેરકાયદે બાળ ગૃહની તપાસ કરી હતી. જે બાળકો રસ્તાથી રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં, એની માહિતી સરકારને આપ્યા વગર અને વગર લાઇસન્સે બાલિકાગૃહ ચલાવવામાં આવતું હતું અને અહીં ખ્રિસ્તી ધાર્મિક પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. આ બાલિકા ગૃહમાં છ વર્ષથી 18 વર્ષ સુધીની 40 યુવતીઓમાં મોટા ભાગની હિન્દુ હતી.

આ મામલે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને આ વિશે તપાસ કરવાની માગ કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular