Saturday, June 28, 2025
Google search engine
HomeNewsMumbaiસમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભીષણ બસ દુર્ઘટનામાં 26નાં મોત

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભીષણ બસ દુર્ઘટનામાં 26નાં મોત

પુણેઃ મહારાષ્ટ્રના યવતમાળથી પુણે જઈ રહેલી એક બસમાં આગ લાગવાથી 26 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના શુક્રવારે રાતના બે કલાકની છે. સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બુલઢાણામાં આગ લાગવાથી આ દુર્ઘટના બની હતી.

યવતમાળથી પુણે જઈ રહેલી બસ થાંભલા સાથે અથડાઈ હતી અને ડિવાઇડર પર ચઢીને પલટી ગઈ હતી. એને કારણે બસમાં આગ લાગી ગઈ. આ બસમાં 33 લોકો સવાર હતા, જેમાંથી 26 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જોકે બસની બારીના કાચ તોડીને સાત લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. અન્ય ઇજાગ્રસ્તોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ જણાવ્યું હતું. બુલઢાણાના ADMએ જણાવ્યું હતું કે બસ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત થયો હતો. ત્યાર બાદ બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી, જે બસમાં પ્રસરી હતી.  આ અકસ્માતમાં ત્રણ બાળકોનાં પણ મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ અકસ્માત થયો હતો.

વડા પ્રધાન મોદીએ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બુલઢાણામાં બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે રૂ. બે લાખ આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000 આપવાની પણ ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી રૂ. પાંચ-પાંચ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્ય મંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular