Tuesday, August 12, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2568 નવા કેસ, 97નાં મોત

કોરોનાના 2568 નવા કેસ, 97નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં નજીવો વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2568 નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની સરખામણીએ 2.5 ટકા વધુ છે. દેશમાં સક્રિય કેસો 40,000ની નીચે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 97 લોકોનાં મોત થયાં છે.રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 180.40 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,96,062 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,15,974 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,46,171 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 4722 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 33,917એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.72 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 7,01,773 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 77.97 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.37 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.46 ટકા છે.

 દેશમાં 180.40 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,80,40,28,891 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19,64,423 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular