Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2528 નવા કેસ, 149નાં મોત

કોરોનાના 2528 નવા કેસ, 149નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2528 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 149 લોકોનાં મોત થયાં છે. દેશમાં સક્રિય કેસો 30,000ની નીચે છે. રાષ્ટ્રીય રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,30,04,005 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,16,281 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,24,58,543 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3997 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 29,181એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.73 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 6,33,867 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 78.19 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 0.35 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.40 ટકા છે.

 દેશમાં 180.97 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,80,97,94,588 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15,77,783 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular