Thursday, August 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 2,47,417 નવા કેસઃ 380નાં મોત

કોરોનાના 2,47,417 નવા કેસઃ 380નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,47,417  નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલની તુલનાએ 27 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 380 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 16 દિવસમાં કોરોનાના દૈનિક કેસો 39 ગણા વધી ગયા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,63,17,927 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,85,035 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ 13.11 ટકા થયો છે. આ સાથે વીકલી પોઝિટિવિટી રેટ 10.80 ટકા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 620 નવા કેસ નોંધાયા છે. જેથી ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 5488એ પહોંચી છે, જેમાં 2162 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 1367 નોંધાયા છે અને બીજા ક્રમે રાજસ્થાનમાં 792 કેસો છે. આ સાથે દિલ્હીમાં 549 કેસો નોંધાયા છે.   દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,47,15,361 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 84,825 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 11,17,531એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.59 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,86,935 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 69.73 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 154.61 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,54,61,39,465 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 76,32,024 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular