Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 24,492ના નવા કેસ, 131નાં મોત 

કોરોનાના 24,492ના નવા કેસ, 131નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના સતત  નવા કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 24,492 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 131 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,14,09,831 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,58,856 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,10,27,543  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 20,191 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,23,432 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

 દેશમાં 3.29 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 3,29,47,432 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 30,39,394 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular