Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત

ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર ઓછો નથી થઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,35,532  નવા કેસ નોંધાયા છે. જોકે ગઈ કાલના કોરોના 2.55 લાખ કેસોની તુલનાએ સાધારણ ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 871 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,08,58,241 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,93,198 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 13.39 ટકા થયો છે. સાપ્તાહિક સંક્રમણ દર 16.89 ટકા છે.  

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,83,60,710 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,35,939 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 20,04,333એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.89 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,59,434 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 72.54 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 165.04 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,65,04,87,260 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 56,72,766 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular